સોમનાથ મંદિર એ ભારતના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે, જે ગુજરાતનાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સ્થિત છે. તે ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાંનું પ્રથમ માનવામાં આવે છે અને તેનો સમૃદ્ધ, જટિલ ઇતિહાસ આધ્યાત્મિક મહત્વ, વારંવાર વિનાશ અને પુનરુત્થાન દ્વારા ચિહ્નિત થયેલ છે.

ઈતિહાસ :
સોમનાથ મંદિર બાબત એ એવું માનવામાં આવે છે કે, આ મંદિર મૂળ રૂપે ચંદ્ર દેવ (સોમ) દ્વારા ભગવાન શિવના સન્માન માટે સોનાથી બનાવવામાં આવ્યું હતું. હિન્દુ શાસ્ત્રો અનુસાર, ભગવાન શિવે ચંદ્ર (ચંદ્ર દેવ) ને શ્રાપથી મુક્ત કર્યા હતા અને કૃતજ્ઞતામાં, ચંદ્રએ આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, શિવ પુરાણ અને અન્ય પૌરાણિક સાહિત્ય જેવા પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.
સોમનાથ મંદિર ઉપર સદીઓથી વિવિધ આક્રમણકારો દ્વારા ઘણી વખત નાશ પામ્યું હતું અને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વારંવાર વિનાશ અને પુનર્નિર્માણનાં કારણે સોમનાથને “શાશ્વત તીર્થ” તરીકે ઓળખવામાં આવે છે.
સૌથી મોટો હુમલો 1025 માં મહમૂદ ગઝની દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સોમનાથ મંદિરનાં રક્ષણમાં ઘણા લોકો વીર ગતિને પામ્યાં હતાં. આ હુમલા દરમિયાન મંદિરની પુષ્કળ સંપતિ આક્રમણકારીઓ લૂટી ગયા હતાં. ત્યારબાદ ૧૪મી સદીમાં અલ્લાઉદીન ખિલજીનાં સેનાપતિ દ્વારા અને ૧૭મી સદીમાં મુઘલ શાસક ઔરંગઝેબ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હતો.
ભારતને સ્વતંત્રતા મળી પછી ભારતનાં પ્રથમ નાયબ વડા પ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૫૧ માં મંદિરનું પુનર્નિર્માણ શરૂ કરાવ્યું હતું. આ મંદિર ચાલુક્ય શૈલીમાં રેતીના પથ્થરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કરી હતી.
